પ્રિયકાન્તને..

July 29th, 2010

મેળે ગયેલું બાળક
માની પરવા કર્યા વિના
મેળાને
વિસ્મયથી પૂર્ણપણે ભોગવતું હોય
ત્યારે જ તેને
તેનો હાથ ખેંચી
કોઈક
મેળાની બહાર ઘસડી જાય..
મૃત્યુને આવું કેમ સૂઝતું હશે, પ્રિયકાન્ત?

અકાળે મૃત્યુ પામેલા સદગત પ્રિયકાન્ત મણિયારની સ્મૃતિમાં..

3 Responses to “પ્રિયકાન્તને..”

  1. Chiragon 30 Jul 2010 at 1:53 pm

    બહુ ઓછા શબ્દોમાં મૃત્યુ પરત્વેની સમ્વેદનશીલતા…

  2. kanchankumari. p.parmaron 03 Aug 2010 at 11:44 am

    આવન જાવન નિ રમત કોણે માંડિ હશે?આવતા યે આંસુ અને જાતા યે આંસુ ,આ તે કેવિ શરત રાખિ હશે!

  3. વિવેક ટેલરon 07 Aug 2010 at 5:22 am

    સુંદર મજાનું સ્મૃતિ કાવ્ય…

    ઓછા શબ્દોમાં સ-રસ અભિવ્યક્તિ… આટલા વરસો પછી પણ એમની સ્મૃતિ કવિઓને કાવ્ય લખવા મજબૂર કરે એ જ એમની ખરી ઉપલબ્ધિ!!!

    ઉમાશંકરે એમની યાદમાં લખેલું એક હાઈકુ યાદ આવ્યું:

    લોહીવ્હેણમાં

    ઊછળે નાયગરા,
    કીકીમાં કાવ્ય!

Trackback URI | Comments RSS

Leave a Reply