ચાલે છે માત્ર સમય

April 28th, 2015

ઘડિયાળના કાંટાની અણીઓને આધારે

ચાલનારા મનુષ્યને

ક્યાં ખબર હોય છે કે

ઘડિયાળ તો વંચક છે!

કાળનું ભક્ષક છે!

અને છતાંય

કાંટાના ધકેલાવાથી

એ આપણને સમજાવે છે કે

આપણો કેટલો સમય પસાર થઈ ગયો છે.

ઘડિયાળ તરફ નજર કરી

વીતી ગયેલા કાળને

મુઠ્ઠીમાં ન જકડી શકવાથી

બોલી ઊઠીએ છીએ

અરે, હવે તો સાંજ પડી ગઈ!

આપણે નિશ્ચિત કલાકે જ પહોંચીએ છીએ

યમરાજને દ્વારે

ભલેને

ઘરનું ઘડિયાળ

ભીંત પર લટક્યા કરતું હોય..

ચાલે છે માત્ર સમયઃ

આપણે તો એનાં પગલાં છીએ..

Trackback URI | Comments RSS

Leave a Reply