મારું ગણિત

August 19th, 2013

પતિને પરમેશ્વર માનનારી
હું સતી સ્ત્રી નથી.
અને એટલે જ
પતિના અવસાન પછી
રદ થઈ ગયેલા અસ્તિત્વમાં
મૂરઝાયેલા ફૂલ જેમ જીવી જઈ
શેષ આયુષ્ય વીતાવવાના
આપણા ઉત્કૃષ્ટ રિવાજને
હું
વધાવી શકતી નથી.
હું
સ્વર્ગે જઈશ
એવી કોઈ ગણતરી
મારા ગણિતમાં છે જ નહીં!

Trackback URI | Comments RSS

Leave a Reply