પાંદડી વાયરાને વળગી શું કામ ? (જન્મદિવસની શુભેચ્છાઓ)

December 28th, 2009

આજના દિવસે એમનાં ‘વિદેશીની‘ આલ્બમમાં સ્વરબદ્ધ થયેલા અને મને ખૂબ જ પ્રિય એવાં આ ગીતથી પ્રિય પન્નાઆંટીને સૌ વાચકમિત્રો તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ… (એમની જ વેબસાઈટ પર, એમને માટે આ સરપ્રાઈઝ !) 🙂 

Happy Birthday, Dear Panna aunty…!

પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
            ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?

-પન્ના નાયક

સંગીત અને સ્વરકાર : અમિત ઠક્કર
સ્વર : ગાર્ગી વ્હોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

થોડા દિવસો પહેલા લયસ્તરો પર યાદગાર ગીતોની શ્રેણીમાં ધવલભાઈ આ ગીતની પસંદગી કરી હતી… જ્યાં એમણે આ ગીતનો ટૂંકમાં ખૂબ જ સુંદર આસ્વાદ કરાવ્યો હતો:  આ ગીત પાંદડી-ડાળી-વાયરાના રૂપકના પ્રયોગથી સંબંધના સમીકરણોને સમજાવે છે. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? આ સનાતન કથા અને એના અર્થઉભારોને કવિએ આ ગીતમાં નજાકતથી વણી લીધા છે.

જન્મદિવસની શુભેચ્છાઓ:
ગાગરમાં સાગર પર…
ટહુકો પર…

5 Responses to “પાંદડી વાયરાને વળગી શું કામ ? (જન્મદિવસની શુભેચ્છાઓ)”

  1. sapanaon 29 Dec 2009 at 12:12 am

    જ્ન્મદિવસ્ની શુભે્ચ્છાઓ..પાંદડી મોહી તી વાયરા પર એટલે તો વળગી …આ અનાદી કાળથી ચાલતુ બંધન.. અળગી અને સળગી રડતી..ભાવવાહી રચના..
    સપના

  2. Daxesh Contractoron 30 Dec 2009 at 5:17 pm

    પાંદડીના રૂપકથી જીવનની કહાણીની અદભુત રજુઆત. વિશેષતઃ એક નારીના જીવનની અને તેય પોતાનો દેશ, પોતાની ડાળીથી વિખૂટી પડી હોય, એની વ્યથાને ધાર આપતું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન. વારંવાર સાંભળવું ગમે તેવું.
    જન્મદિનની ઘણી ઘણી શુભેચ્છાઓ.

  3. kanchankumari parmaron 03 Jan 2010 at 8:41 am

    મોહ માયા થિ અળગા થિયે તોજ ક્ંઇ પામિયે…..બાકિ અસાર સ્ંસાર ને વળગિ વળગિ ને ચાલવા મા કાય સાર નથિ…..

  4. Mahendra K Shahon 26 Jan 2010 at 7:44 pm

    આપ નિ વિદેશિ નિ ન બધજ ગિતિ બહુ જ સુન્દર ચે

  5. વિનય ખત્રીon 10 Mar 2010 at 12:48 pm

    આપની આ રચના આશિષ ચૌધરીના બ્લોગ પર કોઈના નામ વગર રજુ થઈ છે!!!
    http://chash27.wordpress.com/2010/03/05/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AB%80-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%95/

Trackback URI | Comments RSS

Leave a Reply